Saturday, July 17, 2021

 🌷જય શ્રી કૃષ્ણ🌷


🌷WHAT :-  એક પુત્રરત્નના જન્મ નિમિત્તે "નંદમહોત્સવ" ની ઉજવણીની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી, તે "નંદમહોત્સવ" ની ઉજવણી મીનાબેન પી. ઠક્કર ની વ્યાસપીઠે - 

તા.18-07-21, રવિવાર, બપોરે ૩.૩૦ થી સાંજે ૬.૧૫

મીનાબેન પી. ઠક્કર ના ઓન લાઇન સત્સંગમાં જોડાવા નીચેની લીન્ક ઉપર જઇને તે પેજને આજે જ "ફોલો (Follow)" કરો. 

 https://www.facebook.com/minaben.bhajan

Saturday, December 17, 2016

માધવબાગ, ભૂલેશ્વર , સીપી.ટેન્ક ખાતે ભજન





સી. પી. ટેન્ક, ભૂલેશ્વર, મુંબઇ ખાતે શ્રાવણ માસમાં તા.૮-૦૮-૧૬ ના રોજ થયેલ સત્સંગની વીડીયો ક્લીપ.
મુંબઇ ખાતે શ્રાવણ માસમાં ઉપરના સ્થળે કે જ્યાં લક્ષ્‍મીનારાયણનું મંદિર તરીકે ઓળખાય છે અને માધવબાગ પણ કહેવામાં આવે છે, ત્યાં સત્સંગની એક ન્યારી મઝા છે. શ્રોતાગણ એકદમ શિસ્તબધ્ધ. ચાલુ સત્સંગે જરા પણ અવાજ કે વાતો નહીં. આખ્યાન ધ્યાનથી સાંભળે અને ભજન આવે એટલે બધા એક સાથે જ ભજનમાં તાળીઓના તાલે ભાવપૂર્વક ડૂબી જાય.

લોજીંગ અને બોર્ડીંગની સુંદર વ્યવસ્થા યજમાન તરફથી કરવામાં આવી હતી. શ્રી ભરતભાઇ, શ્રી નરેન્દ્રાભાઇ શ્રી મહેન્દ્રભાઇની ઉત્કૃષ્ટ વ્યવસ્થા બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર.


સત્સંગમાં પધારેલા બધાને સત્સંગમાં ખૂબ મઝા આવી હતી, એમ દિલ ખોલીને ઉત્સાહપૂર્વક બધાએ સત્સંગ પત્યા પછી જણાવ્યું હતુ.
મીનાબેનની સાથે કોરસમાંઃ- ધનુબેન દુધરેજીયા અને જાગૃતિબેન સેવક. ઢોલકઃ- નવીનભાઇ પંચાલ, ઓર્ગનઃ- પરેશભાઇ બગડીયા. વીડીયો ક્લીપ મોબાઇલમાંઃ- પ્રવીણભાઇ ઠક્કર.

ભજનના શબ્દો ‘‘ ઓ ડાકોરના ઠકોર તાર બંધ દરવાજા ખોલ ’’ ભજનની વીડીયો ક્લીપ જોવા નીચે આપેલા ભજનના શબ્દો ઉપર ક્લીક કરો.


Click here..
ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ

Monday, June 29, 2015

એક ભજનઃ ઉંચા મહેલો-ઉંચી અટારી..સુદામાની નજરે મિત્ર કૃષ્ણની દ્વારીકા નગરી..


ભજનના શબ્દો આ મુજબ છેઃ

ઉંચા મહેલો, ઉંચી અટારી
ઉંચા મહેલો, ઉંચી અટારી, મણીમંદિરની શોભા સારી,
જુએ સુદામો ધારી ધારી..દ્વારિકા..દ્વારિકા (ર)

સોનાના શીખર ને સોનાની જાળી, સુખડ ઝરૂખાને સુખડની બારી
મોતીડાની સેરો સારી, દિસે છે ઝાકમઝોળ...ઉંચા મહેલો ઉંચી અટારી...

સોનાના મહેલે શામળિયો બિરાજે, દરવાજે એના તો ચોઘડિયા વાગે,
હાથી ઝૂલે દ્વારે દ્વારે... શોભા છે અપરંપાર.. ઉંચા મહેલો ઉંચી અટારી...
સુદામો આવ્યો શ્રી કૃષ્ણના દ્વારે, ઉભો ઉભો એ તો, મનમાં વિચારે
બંસીધર થઇ બેઠો રાજા, હું તો, રહ્યો કંગાળ.. ઉંચા મહેલો ઉંચી અટારી...

ભજનની પૂર્વભૂમિકાઃ-
સુદામા અને શ્રી કૃષ્ણએ બચપણમાં
, સાંદીપની ગુરુના આશ્રમમાં સાથે વિદ્યાભ્યાસ કર્યો હતો. 

જો કે, શ્રી કૃષ્ણનો વિદ્યાભ્યાસનો સમયગાળો માત્ર ૬૪ દિવસનો હતો. આ ૬૪ દિવસમાં ગુરુ શ્રી સાંદીપની ગુરુના આશ્રમમાં શ્રી કૃષ્ણએ ૬૪ કળાઓ શીખી લીધી હતી. 

વિદ્યાભ્યાસ દરમિયાન, એક વખત, ગુરુજીએ સુદામા અને કૃષ્ણને સમિધ+  લેવા માટે મોકલ્યા હતા. સમિધ લેવા જઇ રહેલા આ બે શિષ્યોને ખાવા માટેના ચણા ગુરુમાતાએ સુદામાને સોંપ્યા હતા. સમિધની શોધમાં ગયેલા આ બે શિષ્યો પૈકી શ્રી કૃષ્ણ સમિધની શોધમાં થોડા આગળ નીકળી ગયા અને સુદામા પાછળ રહી ગયા. 
+ (યજ્ઞ પ્રજ્વલિત કરવા માટેના લાકડા)

બંને શિષ્યોના ચણા સુદામા પાસે હતા. સુદામાનું મન ચણામાં લલચાયું. અને શ્રી કૃષ્ણને ખબર ના પડે એમ સુદામાએ લપાઇ-છુપાઇને ચણા ખાવાના શરૂ કર્યા. એટલામાં વરસાદ આવ્યો અને ઠંડા પવન સાથે વરસાદનું ઠંડુ પાણી પડવા માંડ્યું. સુદામા બચપણથી કૃશકાય હતા. સુદામાને ઠંડી લાગવા માંડી. અત્યંત ચતુર એવા શ્રી કૃષ્ણને ખબર પડી ગઇ હતી કે, સુદામાએ ચોરી-છૂપીથી શ્રી કૃષ્ણના ભાગના પણ ચણા ખાવાના શરૂ કરી દીધા હતા. 

મશ્કરા અને મુત્સદી બાળ કૃષ્ણએ પોતાના સખા એવા સુદામાને પુછ્યુ; ‘‘ હેં સુદામા, તારા દાંત અને દાઢી કકળવાનો અવાજ બહુ આવે છે !! તને બહુ ઠંડી ચઢી ગઇ લાગે છે, હેં ને !!’’  સુદામાએ મોંમા ભરેલા ચણા તે જ ક્ષણે ચાવવાના બંધ કરી દીધા અને મિત્ર શ્રી કૃષ્ણને માત્ર હુંકારાથી જ હકારમાં જવાબ આપ્યો.

આમ, ગુરુકુળમાં બીજા શિષ્યના ભાગના ચણા સુદામા ખાઇ ગયા. તેમનું મન ખાવાના પદાર્થમાં જતું રહ્યું. અને બીજાના હક્કનું અને ભાગનું ચોરીથી ખાવાનો અપરાધ બાળકરૂપી સુદામાથી થઇ ગયો. ચોરીથી બીજાનું ખાઇ જવાની લાલચને સુદામા વશ થઇ ગયા. ખાવાની લાલચની સુદામાનું મન વિચલિત થયું અને અપરાધ કરી બેઠા. પણ કર્મ એ તો, કર્મ છે. સુદામાના આ અપરાધથી તેમના ભાગ્યમાં ‘‘ક્ષય શ્રી’’ લખાઇ ગયું. 

ક્ષય થવો એટલેઃ-  

(
૧) ક્ષીણ થવું એ, (૨) ઘસારો, ઘટાડો થવો (૩) નાશ થવો (૪) ચાંદ્રમાસનો ક્ષયા તિથિનો દિવસ. (૫) ફેફસાં કે શરીરનાં બીજાં અંગ સુકાઈને સડી જવાનો રોગ, યક્ષ્મા, ખેનરોગ, ઘાસણી, 'ટ્યુબરક્યુલોસિસ' (ટી.બી.), (૬) અવગતિ; દુર્દશા (૭) અંત કે સમાપ્તિ  થવી(૮) છેડો.ઘસાઈ જવો (૯)  ક્ષીણ થવું અથવા ઘટાડો થવો (૧૦) ચંદ્રની કળા ઓછી થતી જવી ચંદ્રનો અસ્ત થવો તેવો પણ અર્થ થાય.

આમ, સુદામાના જીવનમાં દારુણ ગરીબી લખાઇ ગઇ અને સુદામા તેમના પત્ની અને બાળકો સહિત સૌરાષ્ટ્રના પોરબંદર ખાતે અત્યંત ગરીબીમાં જ જીવ્યા. 

અસાધારણ ગરીબીથી કંટાળી જવાથી પત્ની સુશીલાએ પતિ સુદામાને કહ્યું કે, તમે કહો છો કે, દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અને આપ બંને બાળપણના સખા છો તો, શ્રી કૃષ્ણ પાસે જાઓ ને, અને તેમની સમક્ષ ધા નાંખીને આપણી ગરીબી દૂર કરો ને, પતિદેવ.

સુદામા બિલકુલ અ-યાચક હતા. શ્રી કૃષ્ણ પાસે કશું માંગવાની તેમની તૈયારી ન હતી. પરંતુ પત્ની અને બાળકોની દુર્દશા જોઇને છેવટે પત્નીના વારંવારના આગ્રહથી પોરબંદર ખાતેથી સુદામા શ્રી કૃષ્ણને દ્વારકા ખાતે મળવા જવા માટે તૈયાર થયા. પણ સુદામાએ મનોમન નક્કી કરી લીધું કે
, દ્વારકાધીશને મળવા જઇશ પણ તેમની સમક્ષ કોઇ માંગણી કરીશ નહીં.

સુદામા પોરબંદરથી દ્વારકા આવે છે જ્યાં શ્રી કૃષ્ણએ વસાવેલી દ્વારિકા હતી. ગરીબ સુદામા દ્વારિકા પહોંચીને દ્વારિકાની જાહોજલાલી અને સુખાકારી જોઇને અચરજ પામી જાય છે.. તે વખતે સુદામાને કેવી લાગણી થઇ આવી હશે; તેની કલ્પના કરીને રચાયેલી એક રચના..
ભજન-અાખ્યાનના લાઇવ કાર્યક્રમમાંના આ ભજનની રમઝટ માણોઃ- અહીં ક્લીક કરો.ઉંચા મહેલો ઉંચી અટારી..મણી મંદિરની શોભા સારી
  
  

Sunday, May 3, 2015

ગુરુદેવ તમારા મંદિરિયે દર્શન કરવા હું આવ્યો છુ..


ગુરુદેવ તમારા મંદિરિયે દર્શન કરવા હું આવ્યો છુ,
તવ ચરણ કમળની પાવન રજ મસ્તક ધરવા આવ્યો છુ.

મોહ-માયામાં હું ફસાયો તો, અંધારામાં અટવાયો તો,
મારી નૈયા ડગ-મગ ડોલે છુ, પાર ઉતરવા અાવ્યો છુ

મારા ગુરુજી - શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીઃ જીવન અને મૃત્યુમહીં...

મહાસમાધિ પછી શ્રી શ્રી પરમહંસ યોગાનંદના શરીરે બતાવેલું ચમત્કારિક અવિકારીપણું

        શ્રી શ્રી પરમહંસ યોગાનંદે યુ. એસ. એ. ના કૅલિફોર્નિયા પરગણાના લૉસ એન્જેલસ શહેરમાં, હિંદના તે વખતના એલચી શ્રી બિનોય સેનના માનમાં આપવામાં આવેલા ભોજનસમારંભ વખતે ભાષણ કર્યા પછી તા. ૭મી માર્ચ, ૧૯૫૨ના રોજ મહાસમાધિ લીધી હતી.       જગતના આ મહાન ગુરુએ યોગની ઉપયોગિતા ફક્ત જીવનમાં જ નહિ પરંતુ મૃત્યુમાં પણ પ્રદર્શિત કરી હતી. મહાસમાધિ બાદ સપ્‍તાહો વીત્યા બાદ છતાં એમનું તેવું ને તેવું જ વદન અવિકારીપણાના દિવ્ય તેજથી ઝળહળતું હતું.        શ્રી હૅરી ટી. રોવ, જે કૅલિફોર્નિયાના ગ્લેન્ડેલ પરગણાના ફૉરેસ્ટ લૉન મેમોરિયલ પાર્કના મરણગૃહના ડિરેક્ટર હતા, તેમણે સેલ્ફ રીઅલાઇઝેશન ફેલોશિપ (આત્મસાક્ષાત્કાર સંઘ) ને નોટરીએ પ્રમાણિત કરેલો એક પત્ર મોકલ્યો હતો. તેમાંથી નીચે પ્રમાણેનો ઉતારો કરવામાં આવ્યો છે:

     ‘‘પરમહંસ યોગાનંદના મૃત શરીરમાં વિકારનાં કોઇ પણ દેખીતાં લક્ષણો જણાયાં નથી એ અમારા અનુભવમાંનો એક અલૌકિક બનાવ છે. મૃત્યુ પછીના વીસ દિવસ પછી પણ એમના શરીરમાં કોઇ વિક્રિયા જણાઇ નથી. એમની ત્વચા પર કરચલીનાં કોઇ પણ ચિહ્નો દેખાયાં નહિ તેમ જ શારીરિક કોષો પણ સુકાયા નહિ. શરીરની આવી સંપૂર્ણ અવિકારી અને સુરક્ષિત સ્થિતિએ અમારા જાણવા પ્રમાણે મૃત્યુની તવારીખમાં એક અભૂતપૂર્વ બનાવ છે. યોગાનંદના મૃત શરીરનો સ્વીકાર કરતી વખતે કર્મચારીઓએ એવી અપેક્ષા રાખેલી કે કાચના કવરમાંથી શરીરની વધતી જતી વિક્રિયાઓનાં સઘળાં ચિહ્નો જોઇ શકાશે. પરતું જેમ જેમ દિવસો વીતતા ગયા તેમતેમ તપાસ હેઠળ રાખેલું આ શરીર વિકારનાં કશાં પણ ચિહ્નો બતાવતું નથી, તે જોઇને અમારું આશ્ચર્ય વધતું ગયું. દેખીતી રીતે યોગાનંદનું શરીર બિલકુલ અવિકારી હતું. કોઇ પણ વખતે એમના શરીરમાંથી વિક્રિયાની જરા પણ દુર્ગંધ આવી નથી.
તા. ૨૭મી માર્ચે જ્યારે યોગાનંદના શરીરને પેટીમાં ગોઠવીને ઉપર કાંસાનું ઢાંકણ ગોઠવ્યું તે વખતે એમનો જે શારીરિક દેખાવ હતો તે તા.૭ મી માર્ચના જેવો જ જણાયો હતો. મૃત્યુની રાત્રિએ જેવા એ તાજા હતા અને શરીરની સ્થિતિ વિકારરહિત હતી તેવા જ એ તા.૨૭મી માર્ચે પણ જણાયા હતા. તા.૨૭મી માર્ચે આ શરીરમાં કશો પણ વિકાર પેઠો છે એવું કહેવાનું અમારી પાસે કશું કારણ નહોતું. આ કારણોને લીધે અમે ફરીથી જાહેર કરીએ છીએ કે પરમહંસ યોગાનંદનો કેસ એક અભૂતપૂર્વ અનુભવ હતો.’’


a a a a  a
ભજન સાંભળવા ક્લીક કરો...

ગુરુદેવ તમારા મંદિરીયે...એક ભજન

Saturday, May 24, 2014

કાન્હાકી બંસી જબ બાજે

કાન્હાકી બંસી જબ બાજે ,
મનવા મોરા ઝુવન લાગે
ઐય, 
કાન્હાકી બંસી જબ બાજે ,
મનવા મોરા ઝુવન લાગે
તેરી મુરલીકી ધૂનપે સંવરીયા 
મૈં તો દૌડી દૌડી આઉં રે કનૈયા
કાન્હાકી બંસી જબ બાજે...

સુન મોરે કાના તેરી મુરલીયાને, ચૈન મેરા હૈ છીના,
ઇતના મીઠા દર્દ જીયાકો, મોહન તૂને હૈ દીન્હા ,
તેરી દોર મુઝકો 
તો ખીંચે, આઉ તેરે પીછે પીછે.. 
તેરી મુરલીકી ધૂનપે સંવરીયા 
મૈં તો, દૌડી દૌડી આઉ રે કનૈયા
કાન્હાકી બંસી જબ બાજે 


હે મોરલીધર તેરી ધૂનપે, અંગ અંગ મોરા હૈ થીરકે,

કૈસે સંભાલુ મેરે મનકો, જીયારા મોરા હી ધડકે,
સાત સૂરોસા તેરા સંગમ, સુરસે સુરીલા તેરા બંધન 
તેરી મુરલીકી ધૂનપે સંવરીયા 
મૈં તો દૌડી દૌડી આઉ રે કનૈયા
કાન્હાકી બંસી જબ બાજે


પ્રેમ યે તેરા ઐસા નીરાલા, હો ગઇ મૈં બાવરીયા,  

મન મોહ લેતે સુર યે તેરે, ઢૂંઢે તુઝકો નજરીયા, 
હાય તૂને મોરા ચિત્ત હૈ ચોરા ,
દો લૌટાયે મનવા મોરા,
તેરી મુરલીકી ધૂનપે સંવરીયા 
મૈં તો દૌડી દૌડી આઉ રે કનૈયા
કાન્હાકી બંસી જબ બાજે


Tuesday, January 21, 2014

મારા ગુરુજી - શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીઃ જીવન અને મૃત્યુમહીં...

મહાસમાધિ પછી શ્રી શ્રી પરમહંસ યોગાનંદના શરીરે બતાવેલું ચમત્કારિક અવિકારીપણું

        શ્રી શ્રી પરમહંસ યોગાનંદે યુ. એસ. એ. ના કૅલિફોર્નિયા પરગણાના લૉસ એન્જેલસ શહેરમાં, હિંદના તે વખતના એલચી શ્રી બિનોય સેનના માનમાં આપવામાં આવેલા ભોજન સમારંભ વખતે ભાષણ કર્યા પછી તા. ૭મી માર્ચ, ૧૯૫૨ના રોજ મહાસમાધિ લીધી હતી.
       જગતના આ મહાન ગુરુએ યોગની ઉપયોગિતા ફક્ત જીવનમાં જ નહિ પરંતુ મૃત્યુમાં પણ પ્રદર્શિત કરી હતી. મહાસમાધિ બાદ સપ્‍તાહો વીત્યા બાદ છતાં એમનું તેવું ને તેવું જ વદન અવિકારીપણાના દિવ્ય તેજથી ઝળહળતું હતું.
        શ્રી હૅરી ટી. રોવ, જે કૅલિફોર્નિયાના ગ્લેન્ડેલ પરગણાના ફૉરેસ્ટ લૉન મેમોરિયલ પાર્કના મરણગૃહના ડિરેક્ટર હતા, તેમણે સેલ્ફ રીઅલાઇઝેશન ફેલોશિપ (આત્મસાક્ષાત્કાર સંઘ) ને નોટરીએ પ્રમાણિત કરેલો એક પત્ર મોકલ્યો હતો. તેમાંથી નીચે પ્રમાણેનો ઉતારો કરવામાં આવ્યો છે:

     ‘‘પરમહંસ યોગાનંદના મૃત શરીરમાં વિકારનાં કોઇ પણ દેખીતાં લક્ષણો જણાયાં નથી એ અમારા અનુભવમાંનો એક અલૌકિક બનાવ છે. મૃત્યુ પછીના વીસ દિવસ પછી પણ એમના શરીરમાં કોઇ વિક્રિયા જણાઇ નથી. એમની ત્વચા પર કરચલીનાં કોઇ પણ ચિહ્નો દેખાયાં નહિ તેમ જ શારીરિક કોષો પણ સુકાયા નહિ. શરીરની આવી સંપૂર્ણ અવિકારી અને સુરક્ષિત સ્થિતિએ અમારા જાણવા પ્રમાણે મૃત્યુની તવારીખમાં એક અભૂતપૂર્વ બનાવ છે. યોગાનંદના મૃત શરીરનો સ્વીકાર કરતી વખતે કર્મચારીઓએ એવી અપેક્ષા રાખેલી કે કાચના કવરમાંથી શરીરની વધતી જતી વિક્રિયાઓનાં સઘળાં ચિહ્નો જોઇ શકાશે. પરતું જેમ જેમ દિવસો વીતતા ગયા તેમતેમ તપાસ હેઠળ રાખેલું આ શરીર વિકારનાં કશાં પણ ચિહ્નો બતાવતું નથી, તે જોઇને અમારું આશ્ચર્ય વધતું ગયું. દેખીતી રીતે યોગાનંદનું શરીર બિલકુલ અવિકારી હતું. કોઇ પણ વખતે એમના શરીરમાંથી વિક્રિયાની જરા પણ દુર્ગંધ આવી નથી.
તા. ૨૭મી માર્ચે જ્યારે યોગાનંદના શરીરને પેટીમાં ગોઠવીને ઉપર કાંસાનું ઢાંકણ ગોઠવ્યું તે વખતે એમનો જે શારીરિક દેખાવ હતો તે તા.૭ મી માર્ચના જેવો જ જણાયો હતો. મૃત્યુની રાત્રિએ જેવા એ તાજા હતા અને શરીરની સ્થિતિ વિકારરહિત હતી તેવા જ એ તા.૨૭મી માર્ચે પણ જણાયા હતા. તા.૨૭મી માર્ચે આ શરીરમાં કશો પણ વિકાર પેઠો છે એવું કહેવાનું અમારી પાસે કશું કારણ નહોતું. આ કારણોને લીધે અમે ફરીથી જાહેર કરીએ છીએ કે પરમહંસ યોગાનંદનો કેસ એક અભૂતપૂર્વ અનુભવ હતો.’’


a a a a  a


Tuesday, November 12, 2013

બંધનમાંથી મુક્તિ તરફ...


એક ફિલ્મી ગીતઃ હમસે તુમ હો, તુમસે હમ હૈ, તુમમેં હમ હૈં- હમમેં તુમ હો, યહાં હર કિસીકો નહીં મિલતા પ્યાર જિંદગીમેં, ખુશનસીબ હૈ વો જિન્હે પ્યાર મિલા....(આવું કંઈક) 

પ્રેમ અને કરૂણા સારા જ છે.
પણ વધુ પડતી આસક્તિથી જેનું ચિંતન કરવામાં આવે તેવો રંગ, રૂપ અને આકાર ધારણ થવા માંડે છે. 


અમેરીકામાં કેટલીક સ્ત્રીઓ પૌરૂષત્વથી સભર અને મજબૂત સ્નાયુઓવાળી જોવા મળે છે. જ્યારે કેટલાક પુરૂષો નાજુક અને સ્ત્રીઓ જેવા દેખાય છે. આ ભોગભૂમિ ઉપર સ્ત્રીઓ પુરૂષનું અને પુરૂષો સ્ત્રીઓનું આસક્તિસ્વરૂપે વધુ પડતું ચિંતન અને સેવન કરે છે માટે આવું થાય છે. 

ભાગવત કથાનો એક પ્રસંગઃ

રાજા ભરતની કથા-


સ્કંધ:5(“ શ્રીમદ્ ભાગવત સંક્ષેપ ” //સંક્ષેપકર્તા:હસુમતી મહેતા, બી.એ., એમ.એડ.)


ઋષભદેવનો મોટો દીકરો ભરત પિતાના કહેવા પ્રમાણે રાજવહીવટ ચલાવે. યુવાનવયમાં સંયમ રાખી ઇશ્વર આરાધના કરે. ઇશ્વર સ્મરણ કરે, યાત્રા કરે. અઠ્ઠાવન વર્ષ સુધી રાજપાટ, સંસાર ભોગવ્યા પછી, પોતાના દીકરાને રાજગાદી સોંપી, ગંડકી નદીના કિનારે આશ્રમની રચના કરી, તપ કરવા લાગ્યા. ફક્ત કંદમૂળ ખાઇને રહેતા.
વહેલી સવારે સાડા ત્રણ વાગે ઊઠી અર્ધું શરીર ગંડકીમાં ડુબાડી ગાયત્રી જપ કરતા. બપોરે એક જ ચીજ ખાય, સાંજે ફળફૂલ લાવે.ઇશ્વરનું આરાધન કરે. તપશ્ચર્યા બાર વર્ષે ફળે છે. ભરતને સિત્તેરમું વર્ષ ચાલતું હતું . ગાયત્રી મંત્રમાં તન્મય હતા. 
તે વખતે એક હરણી ગંડકીમાં પાણી પીવા જતી હતી. તેની પાછળ સિંહ પડ્યો. હરણીએ ભયભીત થઇ દોડતાં દોડતાં કિનારા પાસે આવીને કૂદકો માર્યો અને તેના પેટમાંનું તેનું બચ્ચું ગંડકીમાં પડ્યું. તણાતું તણાતું હરણીનું બચ્ચું જ્યાં ભરત તપ કરતા હતા ત્યાં જઇ તેના હાથમાં પડ્યું. આ જીવ ક્યાંથી? જીવે છે? બચ્ચાં પર ભરતે પોતાનું કપડું ઢાંકી દીધું. ભરત વિચારવા લાગ્યા, “શરણે આવેલા જીવને બચાવવો જોઇએ. જીવ અહીં ક્યાંથી આવ્યો? જીવનું રક્ષણ કરવું એ સેવાધર્મ છે. ભક્તિ છે. “ જોયું તો હરણી ગંડકીના કિનારે છેલ્લા શ્વાસ લઇ રહી હતી. ભરત ત્યાં ઊભા રહ્યા અને કહ્યું,”તારું બાળક મારું છે. હું તેનું પોષણ કરીશ.” હરણી મરી ગઇ.

વધુ પડતી આસક્તિ ન રાખવી.



ભરત હરણના બચ્ચાને આશ્રમમાં લાવ્યા. તેને ઉછેરવા લાગ્યા. ભરતને સિત્તેર વર્ષ સુધી ભોગવેલી સુખસાહ્યબી પરિવાર છોડતાં દુ:ખ નહોતુ થયું. સિત્તેર વર્ષે ફરી ભરતને હરણ સાથે માયા બંધાણી.

ભરત પ્રેમથી હરણને મોટું કરવા લાગ્યા. એમ કરતાં કરતાં એક મહિનો વીતી ગયો. રોજ હરણ ભરત પાસે આવે પણ આજે ન આવ્યું. ફરતાં ફરતાં હરણનું એક ટોળું આજે આશ્રમ પાસે આવ્યું. તેમાં હરણનું બચ્ચું ભળી ગયું.
ભરત ૐ નો ઉચ્ચાર કરે ને હરણ ભરત પાસે હાજર થઇ જાય, પણ આજે ન આવ્યું. હમણાં આવશે, હમણાં આવશે, પણ ન આવ્યું એટલે ભરતે ચારે બાજુ તપાસ કરી પણ હરણનો પત્તો ન લાગ્યો. ભરત હર….ણ હર….ણ બૂમો પાડવા લાગ્યા. ચંદ્રનો ઉદય થયો. ચંદ્રને જોઇ પાગલ માણસની જેમ ભરત કહેવા લાગ્યા; ‘‘મારા હરણને તું લઇ ગયો? પાછું આપે દે. મારા હરણ પર મને હાથ ફેરવવા દે.”



સાંજના જપ છોડ્યા. ભરતની નિદ્રા હરામ થઇ ગઇ. બીજે દિવસે પણ હર….ણ હર….ણ હરણમાં વૃત્તિ પરોવાઇ ગઇ. હરણ ન મળ્યું. ભરત હરણના વિરહમાં પંચોતેર વર્ષના થયા. નાડી તૂટવા માંડી. “હરણ હરણ” કરતાં ભરત મૃત્યુ પામ્યા. તેથી ભરતનો હરણયોનિમાં જન્મ થયો.



ગંડકીના કિનારે રહે અને હરણના ટોળામાં ફરે. હરણની નાડી તૂટવા માંડી. હરણે અંત:કાળે પ્રાર્થના કરી,” હે ભગવાન! મને મોક્ષ જોઇએ છે. મારી તપશ્ચર્યા સાચી હોય તો મને મુક્તિ આપો. હે ભગવાન ! બ્રાહ્મણો જ જો મોક્ષના અધિકારી હોય તો મને બ્રાહ્મણ યોનિમ્કાં જન્મ આપો.” હરણનું શરીર શાંત થયું.

Saturday, July 2, 2011

કીર્તન કરે ચિત્ત દર્પણને ઉજળુ...




ટી.વી. પર આવતી અડધા કલાકની સીરીયલમાં લગભગ સાત મિનિટની જાહેરાતો અને ત્રેવીસ  મિનિટની સીરીયલ હોય છે.

સાત મિનિટની જાહેરાત એકસાથે નહીં પણ બે ત્રણ ટુકડામાં હોય છે.


સાત મિનિટની જાહેરાતના એવા બે થી ત્રણ ટુકડામાં થઇને લગભગ પચ્ચીસ થી પંત્રીસ જાહેરાતો હોય છે.


એક એક જાહેરાત માત્ર સાત થી દશ બાર સેકંડની જ હોય છે.

સીરીયલની વાર્તા આતુરતાથી જોવાય છે. તેથી વિપરીત, જાહેરાતો મન વગર જોવાતી હોય છે !!

એવી મન વગરની જોવાતી એક જાહેરાત એક વખત પ્રસારીત કરવાના ખર્ચરૂપે કંપનીઓ લાખો રૂપિયાખર્ચે છે !!

તેનું કારણ મનના તાતારંગ છે. મનના તાતારંગ કેવી રીતે કામ કરે છે; તેની જાહેરાતવાળાઓને ખબર છે.


કોઇ પીણાંની આકર્ષક જાહેરાત માત્ર પાંચ કે સાત સેકંડ માટે જ પ્રસારીત થતી હોય છે. પછી બીજી જાહેરાતો પણ આવે. પાછી મુખ્ય સીરીયલ તો ખરી જ. એમ આ બધામાં પીણાંની આકર્ષક જાહેરાત તો ભૂલાઇ જ જવાની !! સ્વાભાવિક જ છે.

પરંતુ, ઘેર મહેમાન આવવાના હોય, અને સ્વાગત માટે અગાઉથી કોલ્ડ ડ્રીંક્સ લાવી રાખવા માટે વ્યક્તિ બજારમાં કોલ્ડ ડ્રીંક્સ લેવા જાય ત્યારે, ઘણાં બધા કોલ્ડ ડ્રીંક્સ જોઇને નિર્ણય કરવામાં તે મૂંઝાઇ જાય કે કયું પીણુ લઇ જવું

ત્યારે ભૂતકાળમાં કોઇક કાળે જોવાયેલી પાંચ સાત સેકંડની પેલી આકર્ષક જાહેરાતની ઘરબાયેલી સ્મૃતિઓ એને અનુરૂપ સમયે ડોકાઇને બહાર આવી જ જવાની. 


એકાએક જ મનમાં ઉભરીને જાગૃત થઇ જશે અને મનના કોઇક અગોચર ખૂણે ઘરબાયેલી તે સ્મૃતિઓની પડેલી છાપો મન પાસે નિર્ણય કરાવશે. અને વ્યક્તિ તે જાહેરાત વાળી જ કોલ્ડ ડ્રીંક્સની બોટલ ખરીદી લેશે. આ બધું ક્ષણના અમુક અંશમાં બની જતું હોય છે!!

આમ, મનમાં કઇ પળે શું પેસી જાય અને તે ઘરબાયેલી સ્મૃતિ આપણાં કાર્યોને ક્યારે અને કેવી રીતે દોરવણી આપીને કઇ ઘટના ઘટાવશે; તે એક પ્રક્રીયા છે. આ પ્રક્રીયા, ગુપ્ત અને સુપ્ત છે પણ સમજી શકાય કે કેમ ? ગમે તે હોય પણ-સમજવા જેવી છે !! આ પ્રક્રિયાને સંસ્કરણની પ્રક્રિયા પણ કહેવાય છે. આપણાં સંસ્કારો આવા ઘણાં અવલોકનો પછી પડતા હોય છે-સ્વાભાવિક રીતે જ!!

મનમાં પેસેલો વિચાર ક્યારે અણુબોમ્બ બની જાય અને કાર્યરત થઇ જાય તેની ગતાગમ આપણને જોઇએ એવી પડતી નથી.

આ બાબત ઉપર આપણું નિયંત્રણ જોઇએ એવું હોતું નથી. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ આ બધા આપણાં પર કબજો જમાવી બેઠા હોય છે.

આ મત્સર ઉપર આપણો કાબુ હોતો નથી. ભલભલા શાણા અને ડાહ્યા માણસો પણ ખરે વખતે ભૂલ કરી બેસતા હોય છે. 


તેથી વિપરીતઃ- જ્યારે મનમાં સારા વિચારોને પેસવા દીધા હોય તો એ સારા વિચારો પણ જિંદગીના વસમા સમયમાં એ વિચારો જીવવાનું બળ આપે. જીવન જ્યારે કસોટીની એરણ પર ચઢે ત્યારે આપણે આપવાના પ્રત્યાઘાતોને દોરવણી આપતું ભાથું પણ મનમાં અગાઉથી જ જમા થયેલું હોય. જેટલું સારુ ભાથુ હશે તેટલી સ્વાભાવિક્તાથી જ કસોટીના સમયે વરતાઇ જવાશે. માટે જ અનેક ભક્તો કહે છે કે, હૈયે હશે તે હોઠે આવશે અને મહાવરો હશે તો મોંઢે ચઢશે. 


ભજન અને આખ્યાન દ્વારા સંભળાયેલા સદગુણોને ખીલવાનારા શબ્દો મનમાં અજાણતાં જ ઉતરી જતા હોય છે. અલબત્ત ગુપ્ત અને સુપ્ત રીતે જ. અને એ બધું આપણાં કાર્યોને દોરવણી આપી શકે જ છે.  આ કોઇ અંધશ્રધ્ધાની બાબત નથી. આ એક ગુપ્ત અને સુપ્ત મનની પ્રક્રીયા છે. મન દરેક પળે કેળવાતું જ રહે છે.

તે કંઇ નરી આંખે જોઇ શકાય કે, દલીલો દ્વારા તર્કથી તેને પુરવાર કરી શકાય, સાવ એટલી સરળ બાબત આ નથી, - થોડી બારીક બાબત છે. ભજન અને ભક્તિ એમાં ઘણું મદદરૂપ થતું હોય છે. સમૂહમાં રહીને બધાને નિસ્વાર્થ પ્રેમ કેમ કરવો; તે શીખવાનો લાભ ભજનથી મળી શકે છે.


પુનિત મહારાજે તેમના એક ભજનમાં શબ્દો ગૂંથ્યા છેઃકીર્તન કરે ચિત્ત દર્પણને ઉજળું.

સઘળુ સંભાળતો હો, મારો રણછોડિયો,
ચાલી ચલાવે મને પુનિત પંથમાં,
ચાલી ચલાવે મને ભક્તિના પંથમાં
ભુલ કરુ ત્યારે બુધ્ધિને ફેરવે,
સાથે સાથે ચાલતો હો, મારો રણછોડિયો,
હાથને ઝાલતો હો, મારો રણછોડિયો,
દુઃખોના દરીયે, પુનિત બેટ છે.

બેસી જવનો હો, એક જ આધાર છે.
કીર્તન કરે ચિત્ત દર્પણને ઉજળુ..
  • પુનિત મહારાજના આ શબ્દો સાવ સરળ છે. દિલમાં ઉતરી જાય તેવા.
  • અનુભવસિધ્ધ બાબતોને કારણે રચાયેલા અને સીધા જ દિલમાંથી નીકળેલા હોવાથી અપનાવવા જેવી સાચી જીવનની ફીલોસોફી તેમાં ભરેલી છે.
  • મને ગમતાં ભજનોમાંનું એક આ ભજન છે. આ ભજન ગવાય ત્યારે, ભજનમાં એક પ્રકારની રમઝટ આવી જતી હોય છે. બધું રણછોડિયાને સોંપીને હળવાફૂલ થઇને નિષ્ઠાપૂર્વક આમ કહી દેવામાં આવે તો, કેટલી મઝા આવે છે!! શબ્દોથી તેનું સંપૂર્ણ નહીં તો થોડું વર્ણન તો થઇ શકે. આ તો અનુભૂતિની વાત છે. 
  • ભજન માણ્યાં પછી આવી અનુભૂતિને શબ્દોનું સ્વરૂપ આપવાનો પ્રયાસ મારા પતિદેવના મિત્ર શ્રી સુરેશભાઇ જાનીએ કર્યો છે. મુરબ્બીશ્રીએ ભજનની મસ્તીની થોડી વાત કરી છે. વાંચોઃhttp://minabenpthakkar.blogspot.com/p/blog-page_02.html  
  • આપ ભજન-આખ્યાનમાં પધારીને અનુભૂત કરી જુઓ
  • કોઇના પણ ભજનમાં જઇને આ અનુભવો દ્વારા મનમાં ચીલા પડવા દેવા જેવા હોય છે.
કીર્તન કરે ચિત્ત દર્પણને ઉજળુ..

Wednesday, April 6, 2011

રડતી રહે છે દાડી(રોજ), બાળક વિનાની માડી

સંત શ્રી ‘પુનિત’ મહારાજ ની રચના આ લખાણને અંતે મુકુ છુ. જેના શબ્દો ઉપર શીર્ષકમાં છે તે જ છે...જે નંદ મહોત્સવના કાર્યક્રમમાં સામેલ હોય જ!

નંદ-મહોત્સવ અને જન્મદિવસના ભજનો રહેતા હોય છે.

આપણા સમાજની રચના જ એવી હોય છે કે, સંતાન ના હોવાની બાબતને અભિશાપ ગણવામાં આવે છે. જોકે એવી કંઇક ગેરસમજો પ્રવર્તતી હોય છે. દિકરીના જન્મ વખતે ઘણાં માતા-પિતા બહુ ખુશ નથી થઇ શકતા. એટલે જે તે સમાજને અને નંદ મહોત્સવમાં આવતા પ્રસંગને અનુરૂપ રહીને ભજન શ્રી પુનિત મહારાજે રચ્યું હશે.

સંતો- ભક્તોની વાતોને સમજવા કેળવાયેલું મન જો કે હોવું બહુ જરૂરી છે. સંત શ્રી પુનિત મહારાજે એક ભજન એવું પણ રચ્યુ છે કે, ‘સંતાને નહીં સુખ જગમાં....’ ક્યારે મુકીશ આ ભજન પણ..

હું (ભજન આખ્યાનમાં) કહુ છુ કે, યોગ્ય સંતાનો હોય તો, જીવનનો ભાર રાખ્યા વગર બધુ તેમને સોંપીને ભજન ભક્તિમાં જોડાઇ જવાનું સરળ અને શક્ય બની શકે એ ઇશ્વરની કૃપા છે. અને જો સંતાનો યોગ્ય ના હોય તો એમની માયામાં ના ફસાતા પર થઇને ભજન ભક્તિમાં જોડાઇ જવાનું સરળ અને શક્ય છે. ભગવાન જેમ રાખે તે જ યોગ્ય.  

કોઇની સલાહથી વર્ષો પહેલાં સંતાન ગોપાલના મંત્રો સંતાન એષ્ણામાં સાચા દિલથી અને નિષ્ઠાથી કરેલા. છતાં, લૌકિક સંતાનની જવાબદારીથી ‘લાલા’ એ અમને મુક્ત રાખ્યા છે. આવી કોઇ વાત નીકળે ત્યારે હું કહુ છુઃ સંતાન ગોપાલના મંત્રો કર્યા એટલે અ-લૌકિક સ્વરૂપે ‘લાલો’ અમારે ઘેર આવ્યો છે. અમારો ‘લાલો’ એકલપેટો અને અને એવો જબરો છે કે, બીજા કોઇ લૌકિક લાલાને ‘એણે’ આવવા જ ના દીધો. બસ હું એકલો જ લ્હેર કરૂ!! મમ્મીને લઇને રોજે રોજ એને રખડવાનું !! અને નંદ મહોત્સવ પણ કરવાના!! બસ ‘લાલા’ ને મઝા જ મઝા !! અને મમ્મીને પણ ખરી !

‘પિતાશ્રી’ ના શીર્ષકવાળી એક પીડીએફ ફાઇલ મારા પતિના મિત્રએ તેમને ફોરવર્ડ કરી. માતાની સરખામણીએ પિતાની વ્યથાનો તેમાં ઉલ્લેખો છે. કેટલાંક અંશો...
  • પોતાના બાળકો માટે સર્કસનો જોકર કે ઘોડો બની જવામાં પિતાને સંકોચ નથી થતો.
  • પોતાને માટે આનંદની બાબત હોય તો, સ્મિતથી વધારે પ્રતિભાવ નથી દર્શાવતા. અને એવી પળોમાં પિતા તરીકેનું તેમનું વ્યક્તિત્વ અદૃશ્ય થઇ જાય છે.પુત્ર બહાર ગયો હોય અને થાય કે લાવ તેનો રૂમ અસ્ત-વ્યસ્ત છે તો જરા સાફ કરી લઉ. અને પિતાએ જુએ કે, ઓશીકા નીચે સીગરેટનું પેકેટ હતું. પિતા તેમ છતાં બીજે દિવસે જમતી વખતે કશું જ બન્યુ ના હોય એમ અજાણ બની જમી લે છે પણ તેમની લાચાર અને દયાજનક સ્થિતી છુપાવવા છતાં છુપાતી નથી.
  • માતાની સરખામણીમાં પિતાને હંમેશા ભૂલી જવામાં આવતા હોય છે. પરદેશ ગયેલો પુત્ર પત્ર લખે ત્યારે સૌ પ્રથમ મમ્મીનું સંબોધન પહેલું કરે અને પિતા માટે તો માત્ર થોડાક જ શબ્દો તેમાં હોય. ત્યારે એ પત્રને ખાનગીમાં વારંવાર પિતા વાંચે છે. અને એ થોડા શબ્દોને ઘણાં કરવા એકાંતમાં મથતો રહે છે. ત્યારે એકાંતમાં પણ પોતાનો ચહેરો લાચાર અને દયામણો લાગતો હોય ત્યારે ચહેરાની રેખાઓ ભાવુકતાની ચાડી ખાઇ ના જાય તેની નિષ્ફળ કોશિશ એકાંતમાં પણ પિતા કરતો રહે છે. 
  • થયેલી અવગણનાને ગણકાર્યા વગર આત્મવિશ્વાસ જાળવી રાખવા મથતા પિતાની આંખમાં કરૂણા જ વહે એમ માનતા પિતા છેવટે તો લાચાર જ લાગતા હોય છે. 
  • વર્ષો પછી અનુભવ્યુ કે પિતા આકાશ હોય છે અને તપતા સૂરજને પોતાની પીઠ ઝીલીને આપણને છાંયો આપે છે. 
મારા પતિએ આવું વાંચીને નીચે મુજબ પ્રત્યુત્તર આપ્યો.  

આભાર પિતાશ્રીની વ્યથા કથા બદલ...

મૈં કબસે તરસ રહા થા,
મેરે આંગનમેં કોઇ ખેલે,

અને અચાનક એક દિવસ...
ગુપ્ત અને સુપ્ત રીતથી કોઇ કહી ગયું
તમારા ‘લાલા’ની ‘ઇન્ટ્રો’ તો કરાવો..

અને બસ,  કહ્યુ કે,

  • લાલાના ઓશીકા નીચે મળેલું સીગારેટનું ખોખુ, જલતી સીગરેટ દઝાડી જાય તેમ ‘મારો લાલો’ દઝાડતો નથી.
  • મમ્મીને વધારે વ્હાલ કરતા લાલાને જોઇને પપ્પા ખાનગીમાં લાચાર થઇ જવામાંથી બચી જાય છે. 
  • સર્કસનો ઘોડો કે હવા ભરેલો ફુગ્ગો બનવાની ફરજ લાલો પાડતો નથી. મમ્મીનું સંબોધન પહેલું કરી નાંખી ને લાલો પપ્પાને દયામણા બનાવી દેતો નથી. પણ..

તો પછી લાલો કેવો છે, એ તો કહો...


લાલાની મમ્મી ભજનમાં ‘એ’ના ગુણ-ગાન ગાતી હોય, અને બધા નાચી - અને ઝૂમી ઉઠતા હોય, ત્યારે હર્ષના એ આંસુ છુપાવવાનું પપ્પા માટે અઘરૂ થઇ પડે છે!!
  • છુપાવવાનું શું ?
  • લાલાએ જગાવેલા સાચા સ્નેહને દુનિયા ભક્તિના બદલે દંભ ના ગણી લે તે માટે જ તો?
 
ક્યારેક મઝાક કરવા મમ્મી લાલા માટે ભજન ગાય કે , ‘જીવનભરનો કપટી તું નારાયણો જો...ઉપર કાળો હૈયુ કાળુભીંત જો.. ’ અને પપ્પાનું હૃદય પોકાર કરી ઉઠે...એક ચીસ મોટા અવાજે પોકાર કરી ઉઠે...
 

સંત શ્રી પુનિત મહારાજનું આ ભજન...

રડતી રહે છે દાડી, બાળક વિનાની માડી,
અવતાર ઓશીયાળો, ટુકડાની અધિકારી,
ફળ-ફૂલ વિનાની વાડી, બાળક વિનાની માડી,
રહે એકલી અટૂલી, ઝાંખી દીસે મઢૂલી,
ઘોડા વગરની ગાડી, બાળક વિનાની માડી,
રડતી કહે છે દાડી, બાળક વિનાની માડી,
જીવતા રહે અંધાપા બાળક વિનાના બાપા,
જો પુત્ર હોય પ્‍યારા ઘડપણ તણા સહારા.
ટેકા વગરના ફાંફા, બાળક વિનાના બાપા,
ના થાય વંશ વૃધ્ધિ, રઝળે બધી સમૃધ્ધિ,
વાસેલ ઘરના ઝાંપા, બાળક વિનાના બાપા,

આ ભજનના લેખક સંત શ્રી પુનિત મહારાજે જે તે આખ્યાનને અનુરૂપ આ ભજન રચેલું છે.
બાકી તો સંતો ભક્તો તો ‘ભલુ થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાળ’ - નરસિંહ મહેતા