(રાગઃ દીદી તેરા દેવર દિવાના)
આજે મારા દિલમાં દિવાળી (૨)
મારે ઘેર પધાર્યા વનમાળી (૨)
રંગોળી પુરી છે રૂપાળી (૨)
મારે ઘેર પધાર્યા વનમાળી (૨)
કંકુ ચોખા લઇને વ્હાલમને વધાવુ
પ્રભુજીના પગલે હું ફુલડાં વેરાવુ
ધન્ય બની આંખલડી મારી (૨)
મારે ઘેર પધાર્યા વનમાળી (૨)
આજે મારા....
સેવાની સામગ્રી સજાવી લીધી છે
રસોઇ મારા હાથે બનાવી દીધી છે
હરખે હરખે કીધી તૈયારી (૨)
મારે ઘેર પધાર્યા વનમાળી (૨)
આજે મારા...
રોમે રોમે પ્રગટ્યા છે ઝગમગતા દીવા
જાણે આજે ‘મુકેશ’ ના ઘરમાં છે વિવાહ
પાવન થઇ છે ઝૂંપલડી મારી (૨)
મારે ઘેર પધાર્યા વનમાળી (૨)
આજે મારા...
અર્જુનને વિશ્વરૂપ દેખાડ્યા પછી ચતુર્ભૂજ સ્વરૂપનું દર્શન આપીને ભગવાને કહ્યું કે, ‘‘જે પ્રકારે તેં મને જોયો છે,એ પ્રકારનો(ચતુર્ભૂજ સ્વરૂપ)હું ન તો વેદોથી,ન તપથી,ન દાનથી અને ન યજ્ઞથી પણ દેખાઇ શકુ છુ’’ જ્યારે કોઇ સાધનથી નથી દેખાઇ શકતા તો પછી કોના દ્વારા દેખાઇ શકો છો? ભગવાન કહે - ‘‘પરંતુ હે શત્રુપાતન અર્જુન, આ પ્રકારે હું અનન્ય ભક્તિથી તત્વ દ્વારા જાણવાને, સગુણરૂપે જોવાને અને પ્રવેશ(પ્રાપ્ત) કરવાને શક્ય છુ.’’ ભક્તિ દ્વારા જાણવાનું, જોવાનું અને પ્રવેશ પ્રાપ્ત કરવાનું - એમ ત્રણેય શક્ય છે.
Friday, January 14, 2011
જય ગજાનન
જય ગજાનન જય, ગજાનન ગણપતિ,
ચરણ કમળમાં, સ્થિર કરો મારી મતિ... જય ગજાનન
શિવ શક્તિના લાડીલા સંતાન છો...(૨)
સદા સુધારો કૃપા કરી મારી મતિ... જય ગજાનન
શુભ પ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું... (૨)
આપ ઇશારે કાર્યોમાં થાતી ગતિ... જય ગજાનન
જ્યાં જ્યાં મારી અક્કલ અટકી જાય છે... (૨)
ત્યાં ત્યાં આપ બતાવી દો મારા વતી... જય ગજાનન
રામભક્ત ને પુનિત લ્હાવા આપજો... (૨)
શરણે આવ્યો રિધ્ધિ સિધ્ધિના પતિ... જય ગજાનન
ચરણ કમળમાં, સ્થિર કરો મારી મતિ... જય ગજાનન
શિવ શક્તિના લાડીલા સંતાન છો...(૨)
સદા સુધારો કૃપા કરી મારી મતિ... જય ગજાનન
શુભ પ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું... (૨)
આપ ઇશારે કાર્યોમાં થાતી ગતિ... જય ગજાનન
જ્યાં જ્યાં મારી અક્કલ અટકી જાય છે... (૨)
ત્યાં ત્યાં આપ બતાવી દો મારા વતી... જય ગજાનન
રામભક્ત ને પુનિત લ્હાવા આપજો... (૨)
શરણે આવ્યો રિધ્ધિ સિધ્ધિના પતિ... જય ગજાનન
Subscribe to:
Posts (Atom)