Purity of Mind
Sant Soordas was a common man named Bilvamangal who lived a life of eating, drinking and making marry. A Nrityangana named Chintamani, having God alone in her mind and heart full of devotion, came into life of Bilvamangal.
Chintamani used to perform dances just for her livelihood. She sang and danced keeping only God in her mind. She expressed pure love by singing in the name of God. But Bilvamangal due to his own thinking misunderstood that Chintamani did all these in his love. Bilvamangal had become mad after Chintamani. Bilvamangal reached Chintamani's place using a dead man as if that was a boat and climbed Chintamani's house with the help of a dead snake as if that was a rope. Chintamani advised Bilvamangal to concentrate on God instead of herself. Chintamani guided Bilvamangal to start loving God instead of herself. "How to love God?" Bilvamangal asked Chintamani. She explained "just in the same manner you love me, you have to start loving God instead of me".
Since it was told by Chintamani, he was touched and his heart moved. A turning point comes in his life. He tries to see God everywhere instead of lust. But Bilvamangal finds much difficult to see God. Bilvamagal, who had trained his mind by thinking just for Chintamani so far, diverted to Chintamani on and off. Incidents happened that while searching God his mind ran after lust. But Bilvamangal was sincerer and he did not leave his efforts for cultivating love for God. He continued searching God with and ultimately, this world got BHAKTA SOORDAS.
- મોહાંધ વ્યક્તિને તે પોતે સામે શું જોઇ રહ્યો છે; એનું ભાન રહેતું નથી. સાપને દોરડુ સમજી લેનાર બિલ્વ મંગલની વાત આપણે બધા જાણીએ છીએ.
- બિલ્વમંગલે તેના મનને ઠીક કરીને આ જગતને કામરૂપી દૃષ્ટિથી ન જોવાનો નિર્ધાર કરેલો.
- મનથી જાગી ગયેલા બિલ્વમંગલને અંતર્મુખી થઇ, આંખો બંધ કરને ઇશ્વરને જોવામાં તેના પોતાના ચર્મ ચક્ષુ અંતરાયરૂપ થતાં જણાયા હતા.
- છેવટે, બિલ્વમંગલે ગરમ સળીયાથી પોતાના હાથે જ પોતાની આંખોને કાયમ માટે દૃષ્ટિહીન કરી નાંખી
- બિલ્વમંગલના મનમાં ઇશ્વર માટે કેવું અદ્વિતિય સ્થાયન હશે?
- અને તે તાલાવેલી કંઇ જેવી તેવી હોય નહીં. જગન્નિયંતા પરમેશ્વર સિવાયનું કંઇ પણ મન સહન ન કરી શકે, એવી બિલ્વમંગલના મનની સ્થિતી થઇ હશે.
- બિલ્વમંગળના મનમાંથી પાપ ગયું ત્યાતરે આ જગતને સૂરદાસરરૂપી પવિત્ર માનવી અને એક સાચા ભક્ત મળ્યા.
- અલબત્ત, જગતમાં એવી કોઇ વ્યક્તિ નહીં હોય જેણે જન્મીને કોઇ ને કોઇ ભૂલ ના કરી હોય.
- બિલ્વમંગળ લોલુપતામાં ગળાડૂબ હતા પણ જાગી જઇને સતર્કતાથી સાવધાનીથી લોલુપતામાં વપરાતી શક્મિને ઇશ્વર ખોજમાં પરાવર્તીત કરી. બસ સહજ સાવધાન સ્થિતી કેળવીને.
- મનને ધીરે ધીરે વિચારપૂર્વક કેળવવામાં આવે તો, મનને ઓળખીને કાબુમાં લેવાનું શીખી શકાય.અને એ રીતે ઇશ્વર માટેનો સાચો પ્રેમ કેળવી શકાય. તેનું તાદૃશ્ય દર્શન એ જ સુરદાસનું જીવન.
- વફાદારી અને નિષ્ઠા જોઇએ. પાપ જાગતા બધાએ બિલ્વમંગળની જેમ આંખ ફોડી નાંખવાની જરૂર નથી. પણ ધીમે ધીમે વફાદારીથી મનને કેળવવામાં આવે તો મન કેળવાઇ શકે તે બિલ્વમંગળનું જીવન દર્શાવે છે.
- સાથે સાથે, ભગવાન પણ એટલા જ દયાળુ છે.
- અને તેવી કસોટીમાં બિલ્વમંગળ જેવી સાચી નિષ્ઠા અને વફાદારી જણાય તો, ભગવાન પણ મક્કમ ઇરાદા અને સાચી નિષ્ઠા હોય ત્યાં અચૂકપણે તેમની કૃપા દર્શાવે. વફાદાર વ્યક્તિ બિલ્વમંગળની જેમ કસોટીઓમાં અચૂકપણે પાસ થાય.
- પરમકૃપાળુ પરમેશ્વરની પરીક્ષામાં પાસ થતાં જ કૃપા નિધાન તેમની કૃપા અને સ્નેહના બધા જ દરવાજા આવા સાચા ભક્ત માટે અચૂકપણે ખુલ્લા મૂકી દે.
- નરસિંહ મહેતાના મનમાં દુન્યવી આટાપાટાની કોઇ વાત જ ન હતી. તેમના મનમાં તો એક માત્ર ઇશ્વરના માધ્યામ થકી સર્વ માટે પ્રેમ પ્રેમ ને પ્રેમ જ હતો.
- અલબત્ત, સાચા ઇશ્વરના શોધકોને મન તેવા સુખોની કંઇ પરવા હોતી નથી. પણ આધ્યાત્મિક અને ભૌતિક એમ બધી ય રીતે ઇશ્વર પોતાના સાચા ભક્તો ઉપર કૃપા ઉતારતા જ હોય છે.
- જગત ખરેખર જેવું હોય છે તેવું વ્યક્તિને કેટલીક વખત ભાસતુ નથી. પણ વ્યક્તિ જેવી રીતે જગતને જુએ છે; એવું જગત તેને દેખાય છે.
- પતઇના રાજાએ તેના મનમાં કામને સેવી સેવીને મનને એટલું દૂષતિ કરી નાંખ્યું છે કે, સામે રહેલ વ્હાલના દરીયારૂપી મા માં તેને મા દેખાતી નથી. કેવી માનસિક ઋગ્ણતા? કેવી બિમાર મનોદશા?
- શાસ્ત્રોના મતે સ્ત્રી એ એક શક્તિ છે, સ્ત્રી એ પરાશક્તિ છે.
- આપણી પૂર્વની સંસ્કૃતિ, એટલે કે, ભારતની સંસ્કૃતિએ સ્ત્રીને પૂજનીય અને આદરણીય ગણી છે.
- આ અંગે કોઇ સંસ્કૃતિનો વિવાદ કરે તો પણ એનો ઇન્કાર થઇ શકે તેમ નથી કે, ભારતીય સંસ્કૃતિએ દેવી અને માતાના સ્વરૂપે સ્ત્રીની પૂજા કરી છે. જ્યારે પશ્ચિમે એવું નથી કર્યુ.
- પશ્ચિમની આખી સંસ્કૃતિ જ ભૌતિક સંસ્કૃતિ છે. એ તેમની લાક્ષણિકતા છે. ભૌતિક વિજ્ઞાનના ઘણાં રહસ્યો આ પ્રજાએ જ આજના આધુનિક યુગને ચરણે જીવનસુખાકારી માટે અર્પણ કર્યા છે.
- અલબત્ત, અમુક બાબતમાં આપણા દેશમાં, આપણી સંસ્કૃતિમાં કેવું હોય છે; અને એ જ બાબતમાં બીજી સંસ્કૃતિમાં કે બીજા દેશોમાં કેવું હોય છે; તેની વિચારણા થઇ શકે.
- પરંતુ જે તે સંસ્કૃતિમાંના દોષ પ્રત્યે તે પ્રજા કેવા અને કયા કયા ફેરફાર કરી શકે, તેની વિચારણા કરવા માટે માર્ગદર્શનાત્મક સિધ્ધાંત તરીકે બીજી સંસ્કૃતિને વિચારવી જોઇએ.
- ભારતની સંસ્કૃતિ પાઠ અને સંસ્કારનું સીંચન કરે છે કે, પુરુષ જ્યારે સ્ત્રીને જુએ ત્યારે તેનામાં માતા અને ભગિનીનુ દર્શન અને ભાવ થવા જોઇએ. એ જ રીતે સ્ત્રી પુરુષને જુએ ત્યારે તેમાં તેને ભ્રાતા અને પિતાનું દર્શન થવું જોઇએ.
- મનની દૃષ્ટિથી આ જગતને મલીનતા અને મોહરૂપી સ્વાર્થ વગર જગતને જોવામાં આવતાં જગત એકસરખુ લાગે. ભેદભાવ વિનાનું લાગે. મન હલકુ થઇ જાય. હૃદયતલમાંથી ઉભરીને બહાર આવતો અને કદી પણ ન ખૂટવાવાળો આનંદ પણ કદાચ સ્ફૂરવા માંડે.
- પી. યુ. ઠક્કર