ગુરુદેવ તમારા મંદિરિયે દર્શન કરવા હું આવ્યો છુ,
તવ ચરણ કમળની પાવન રજ મસ્તક ધરવા આવ્યો છુ.
મોહ-માયામાં હું ફસાયો તો, અંધારામાં અટવાયો તો,
મારી નૈયા ડગ-મગ ડોલે છુ, પાર ઉતરવા અાવ્યો છુ
અર્જુનને વિશ્વરૂપ દેખાડ્યા પછી ચતુર્ભૂજ સ્વરૂપનું દર્શન આપીને ભગવાને કહ્યું કે, ‘‘જે પ્રકારે તેં મને જોયો છે,એ પ્રકારનો(ચતુર્ભૂજ સ્વરૂપ)હું ન તો વેદોથી,ન તપથી,ન દાનથી અને ન યજ્ઞથી પણ દેખાઇ શકુ છુ’’ જ્યારે કોઇ સાધનથી નથી દેખાઇ શકતા તો પછી કોના દ્વારા દેખાઇ શકો છો? ભગવાન કહે - ‘‘પરંતુ હે શત્રુપાતન અર્જુન, આ પ્રકારે હું અનન્ય ભક્તિથી તત્વ દ્વારા જાણવાને, સગુણરૂપે જોવાને અને પ્રવેશ(પ્રાપ્ત) કરવાને શક્ય છુ.’’ ભક્તિ દ્વારા જાણવાનું, જોવાનું અને પ્રવેશ પ્રાપ્ત કરવાનું - એમ ત્રણેય શક્ય છે.
‘‘પરમહંસ યોગાનંદના મૃત શરીરમાં વિકારનાં કોઇ પણ દેખીતાં લક્ષણો જણાયાં નથી એ અમારા અનુભવમાંનો એક અલૌકિક બનાવ છે. મૃત્યુ પછીના વીસ દિવસ પછી પણ એમના શરીરમાં કોઇ વિક્રિયા જણાઇ નથી. એમની ત્વચા પર કરચલીનાં કોઇ પણ ચિહ્નો દેખાયાં નહિ તેમ જ શારીરિક કોષો પણ સુકાયા નહિ. શરીરની આવી સંપૂર્ણ અવિકારી અને સુરક્ષિત સ્થિતિએ અમારા જાણવા પ્રમાણે મૃત્યુની તવારીખમાં એક અભૂતપૂર્વ બનાવ છે. યોગાનંદના મૃત શરીરનો સ્વીકાર કરતી વખતે કર્મચારીઓએ એવી અપેક્ષા રાખેલી કે કાચના કવરમાંથી શરીરની વધતી જતી વિક્રિયાઓનાં સઘળાં ચિહ્નો જોઇ શકાશે. પરતું જેમ જેમ દિવસો વીતતા ગયા તેમતેમ તપાસ હેઠળ રાખેલું આ શરીર વિકારનાં કશાં પણ ચિહ્નો બતાવતું નથી, તે જોઇને અમારું આશ્ચર્ય વધતું ગયું. દેખીતી રીતે યોગાનંદનું શરીર બિલકુલ અવિકારી હતું. કોઇ પણ વખતે એમના શરીરમાંથી વિક્રિયાની જરા પણ દુર્ગંધ આવી નથી.
તા. ૨૭મી માર્ચે જ્યારે યોગાનંદના શરીરને પેટીમાં ગોઠવીને ઉપર કાંસાનું ઢાંકણ ગોઠવ્યું તે વખતે એમનો જે શારીરિક દેખાવ હતો તે તા.૭ મી માર્ચના જેવો જ જણાયો હતો. મૃત્યુની રાત્રિએ જેવા એ તાજા હતા અને શરીરની સ્થિતિ વિકારરહિત હતી તેવા જ એ તા.૨૭મી માર્ચે પણ જણાયા હતા. તા.૨૭મી માર્ચે આ શરીરમાં કશો પણ વિકાર પેઠો છે એવું કહેવાનું અમારી પાસે કશું કારણ નહોતું. આ કારણોને લીધે અમે ફરીથી જાહેર કરીએ છીએ કે પરમહંસ યોગાનંદનો કેસ એક અભૂતપૂર્વ અનુભવ હતો.’’