અર્જુનને વિશ્વરૂપ દેખાડ્યા પછી ચતુર્ભૂજ સ્વરૂપનું દર્શન આપીને ભગવાને કહ્યું કે, ‘‘જે પ્રકારે તેં મને જોયો છે,એ પ્રકારનો(ચતુર્ભૂજ સ્વરૂપ)હું ન તો વેદોથી,ન તપથી,ન દાનથી અને ન યજ્ઞથી પણ દેખાઇ શકુ છુ’’ જ્યારે કોઇ સાધનથી નથી દેખાઇ શકતા તો પછી કોના દ્વારા દેખાઇ શકો છો? ભગવાન કહે - ‘‘પરંતુ હે શત્રુપાતન અર્જુન, આ પ્રકારે હું અનન્ય ભક્તિથી તત્વ દ્વારા જાણવાને, સગુણરૂપે જોવાને અને પ્રવેશ(પ્રાપ્ત) કરવાને શક્ય છુ.’’ ભક્તિ દ્વારા જાણવાનું, જોવાનું અને પ્રવેશ પ્રાપ્ત કરવાનું - એમ ત્રણેય શક્ય છે.